ભાવનગર લેબર લો પ્રેક્ટિસનલ એસોસિએશન દ્વારા એસોસિએશનના લેટરપેડ નો ગેર ઉપયોગ કરવા બદલ બે સભ્યોને સભ્ય પદેથી આજીવન સસ્પેન્ડ કરવાનો ઠરાવ બહુમતીથી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સસ્પેન્ડ કરાયેલા આ બંને સભ્યો અગાઉ પ્રમુખ તથા ખજાનચી તરીકે એસોસિએશનમાં સેવા બજાવતા હતા.
ભાવનગર લેબર લો પ્રેક્ટિસનર એસોસિએશન દ્વારા રોજ તારીખ ૧૬ નવેમ્બર ના રોજ પ્રમુખ ગંગાધર આર રાવળ તથા ખજાનચી રમેશ ધ્રાંગધરીયાને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરી નવા પ્રમુખ તરીકે મયુર બી. ઓઝા અને ખજાનચી તરીકે ભરત જાેશીની નિમણૂક કરવાનો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો આ અંગે અંગત રાગ દ્વેષ થતા વેરવૃત્તિની વસુલાત માટે જાણી જાેઈને બંને સભ્યોએ હોદ્દા પર ન હોય તેમ છતાં એસોસિએશનના લેટરપેડનો ગેર ઉપયોગ કરી સભ્યોને બદનામ કરવા બદનક્ષી કરેલ હોય આ અંગે બંને સભ્યોને ભારતીય ફોજદારી ધારા હેઠળ તેમજ દીવાની રહે કાયદેસરની કાર્યવાહી શા માટે ન કરવી તેવો ખુલાસો કરવા ૨૬ નવેમ્બરના રોજ બંનેને રજીસ્ટર એડીથી કાનૂની નોટિસ આપવામાં આવેલ તેમ છતાં આજ દિન સુધી તેમનો કોઈ જવાબ આપેલ નહીં.
૧૭ ડિસેમ્બરના રોજ કોઈ જ મિટિંગ કર્યા વિના બંને એસોસિએશનની ઓફિસના નોટિસ બોર્ડ પર સભ્ય થવા અંગે લેટરપેડનો ગેર ઉપયોગ કરેલ હોય ગંગાધર રાવળ તથા રમેશ ધ્રાંગધરીયાને ભાવનગર લેબર લો પ્રેક્ટિસનલ એસોસિએશનની સભ્યપદથી આજીવન દૂર કરવાનો તારીખ ૨૦ ડિસેમ્બરના રોજ સર્વનુંમતે ઠરાવ પસાર કરવામાં આવેલ હોવાનું એસોસિએશનના વર્તમાન પ્રમુખ મયુર ઓઝાએ આસપાસ દૈનિક સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું આ ઉપરાંત ઉપપ્રમુખ કે. એન. સિંગએ પણ ટેલીફોનિક વાતચીતમાં સહમતિ આપી હતી અને બંને સાથે સમાધાનની પ્રક્રિયા શરૂ હોવાનું પણ વર્તમાન હોદ્દેદારોએ જણાવ્યું હતું.