પાલીતાણા તાલુકાના નવા સરોડ- જસપરા ગામમાં રહેતા રત્નકલાકાર યુવાન ઉપર ગામના ચાર શખ્સોએ હુમલો કરી ધોકાના બે ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના જસપરા નવા સરોડ ગામમાં રહેતા રત્નકલાકાર યુવાન અમિતભાઈ રમેશભાઈ ખેરાળા (ઉં.વ.૨૦) તેના કાકાના ઘર પાસેથી જતા હતા ત્યારે તેના પિતરાઇ ભાઈ યાજ્ઞિકભાઇને ગામમાં રહેતા હિપાભાઈ બલિયા ઢોર હંકારવા બાબતે ઝઘડો કરી ઠપકો આપતા હોય, અમિતભાઈ ખેરાળા વચ્ચે પડતા ઉશ્કેરાઈ ગયેલા સુરેશ વાઘાભાઈ બલિયા, ગોપાલ બાઘાભાઈ બલિયા, ઉપેશ ભીમાભાઇ બલિયા અને જગા નારણભાઈ બલિયાએ અમિતભાઈને ઢીકાપાટુનો માર મારી લાકડી ના બે ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.આ બનાવ અંગે અમિતભાઈ ખેરાળાએ ફરિયાદ નોંધાવતા પાલીતાણા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી.