ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું ન હોય એનએસયુઆઇ દ્વારા આજે વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે યુનિવર્સિટી ખાતે હલ્લા બોલ કરાયું હતું અને કુલપતિ સમક્ષ વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ તાકીદે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી.
એન એસ યુ આઈ દ્વારા રજૂઆત કરાઈ હતી કે દર વર્ષે ભાવનગર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે તેવા બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી, આ ઉપરાંત યુનિવર્સિટી સંચાલિત હોસ્ટેલોમાં ગંદકીનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં છે સાફ સફાઈનો સદંતર અભાવ છે વિદ્યાર્થીઓનુ સ્વાસ્થ્ય જાેખમાય છે અને હોસ્ટેલમાં પીવાના પાણીની તેમજ વપરાશના પાણીની સુવિધા પ્રાપ્ત નથી અને જમવા માટેની પણ કેન્ટીન ઘણા સમયથી બંધ હાલતમાં છે. તાકીદે તમામ યોગ્ય કરવા ઉપરાંત યુનિવર્સિટીના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડે છે તે રસ્તા રીપેરીંગ કરવા તેમજ સ્પાન પિરિયડ પૂર્ણ થયેલ વિદ્યાર્થીઓની વહેલી તકે પરીક્ષા લેવા અને પરિણામોમાં વારંવાર થતા છબરડાઓ બંધ કરાવવા અને યોગ્ય રીતે ચકાસી પરિણામો બહાર પાડવા સહિતની માગણી કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોના તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર અને ઝલદ કાર્યક્રમ આપવાની પણ એનએસયુવાય દ્વારા ચિમકી અપાય હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતા.