Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાલના કોટડા ગામની પરિણીતાનો સસરિયાના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત

દીકરીના મૃત્યુ અંગે પૂછતા જમાઈ સહિતના ધારીયું લઈને મારવા દોડ્યા : વ્યથિત પિતાની દીકરીને મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2023-01-06 14:16:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભાલના કોટડા ગામમાં રહેતી પરિણીતાએ તેના પતિ,સાસુ,સસરા અને દિયરના ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ તેની દીકરીના સાસરિયા વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.દીકરીના મૃત્યુના સમાચાર કેમ ન આપ્યા તેવું પૂછતા જમાઈ સહિતનાએ ઝઘડો કરી ધરીયું લઈને મારવા દોડ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાલના કોટડા ગામમાં રહેતા લાખુબેન નિતેશભાઈ પરમાર (ઉ.વ.૨૭) એ ગઈકાલે તેના પતિ નિતેશ,સાસુ લાલીતાબેન,સસરા પ્રવીણભાઈ અને દિયર ગણપતભાઈના શારીરિક,માનસિક ત્રાસથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં તેના પિતા માધુભાઈ દિલાભાઈ મકવાણા રહે.ગગાવાડા, તા.જી.ભાવનગર તેમનું મોટરસાઇકલ લઈને કોટડા જવા રવાના થયા હતા ત્યારે ગામના પાટિયા પાસે પીકઅપ વાહનમાં લાખુબેનનો મૃતદેહ લઈને તેના સાસરિયાઓ ભાવનગર તરફથી આવતા હોય,તેમને અટકાવીને માધુભાઈએ દીકરીના મૃત્યુ અંગે પૂછતા તેનો જમાઈ સહિતના ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી જમાઈ નિતેશ ધરીયું લઈને મારવા દોડ્યો હતો,જા કે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને મધુભાઈને બચાવ્યા હતા.બાદમાં માધુભાઈ અને તેના સંબંધીઓ લાખુબેનના મૃતદેહને પી.એમ.કરાવવા માટે ભાવનગર હોÂસ્પટલ લાવ્યા હતા.
આ બનાવ અંગે મૃતક લાખુબેનના પિતા માધુભાઈ મકવાણાએ તેની દીકરીના પતિ નિતેશ પ્રવીણભાઈ પરમાર,સાસુ લાલીતાબેન,સસરા પ્રવીણભાઈ સામતભાઈ પરમાર અને દિયર ગણપત પરમાર વિરૂદ્ધ તેની દીકરીને શારીરિક, માનસિક ત્રાસ આપી અવારનવાર દહેજની માંગણી કરી મારવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા વેળાવદર ભાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Tags: bhalbhavnagarkotdaparnita aapghat
Previous Post

ભાવનગરમા દિવસ અને રાત્રીના તાપમાનમાં ૫.૩ ડિગ્રીનો તફાવત

Next Post

ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

ભાવનગરના યજમાન પદે ABVP ના ૫૪માં પ્રદેશ અધિવેશનની વિધિવત ધ્વજારોહણ બાદ શરૂઆત

ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

ચેક પરત ફરવાના કેસમાં વેપારીને એક વર્ષની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.