છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી સુરત-ભાવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોના કાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચા હીરાની રફ આવવાનું સાવ બંધ જ થઈ ગયું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે.
મળતી માહિતી મુજબ છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને આ બાબતે ફરિયાદ મળી છે. તો વળી કતારગામના કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારોનો રોટલો અભળાયો છે. હાલમાં માહોલ એવો છે કે સુરતના હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે. કોરોના, રશિયા-યુક્રેન યુધ્ધ અને ચીનમાં કોરોના કહેરની અસરને પગલે સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. માહિતી એ પણ સામે આવી રહી છે કે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને પણ 24 જેટલી ફરિયાદો મળી છે, જેમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. કતારગામ વિસ્તારમાં કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર થઈ ગયા છે. એક તો કોરોના વાયરસના કહેર અને દિવાળી બાદ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને રત્નકલાકારોને છૂટા કરવાની અવાર નવાર ફરિયાદો મળી છે. જેમાં અત્યાર સુધી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી છે.
ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભાવનગર શહેર અને જીલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. લાખોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે.