Saturday, January 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:07:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં શુક્રવારના રોજ એક ૨૧ વર્ષીય યુવતીએ અંતિમ સમયે પોતાના લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુવક માનસિક બીમારીનો શિકાર હતો પરંતુ તેના પરિવારના લોકોએ આ વાત છુપાવીને રાખી હતી. લગ્ન સમયે યુવક પૈસા ઘણી નહોતો શક્યો અને તે સમયે હકીકત સામે આવી હતી.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો લગ્ન સમયે જ્યારે પંડિતજી વિધી કરાવી રહ્યા હતા ત્યારે તેમને વરરાજાના વર્તન પ્રત્યે શંકા ઉભી થઈ હતી. પંડિતને લાગ્યું કે કંઈક તો ગરબડ છે અને તેમણે યુવતીના પરિવારને આ વાતની જાણ કરી હતી. ત્યારપછી સમગ્ર બાબતનો ખુલાસો થઈ શક્યો હતો. મોહમ્મદાબાદ કોટવાલી વિસ્તારમાં આવેલા દુર્ગાપુર ગામમાં રહેતી યુવતી રીટા સિંહ તરત જ મંડપ પરથી નીચે ઉતરી ગઈ હતી. દુલ્હન આ રીતે નીચે આવી જતા બન્ને પરિવાર વચ્ચે ચર્ચા શરુ થઈ અને બોલાચાલી થઈ ગઈ હતી. વાત આગળ વધી તો પોલીસને પણ બોલાવવાનો વારો આવ્યો હતો. દુલ્હનના પરિવારના લોકોનો દાવો છે કે, લગ્નના દિવસ સુધી તેમને ખબર નહોતી કે વરરાજાની માનસિક સ્થિતિ સારી નથી. કન્યાના ભાઈ મોહિત જણાવે છે કે, લગ્નો વિશ્વાસના આધાર પર થતા હોય છે. જેણે વચ્ચે પડીને લગ્ન નક્કી કરાવ્યા તે અમારા નજીકના સગા છે. અમે તેમના પર વિશ્વાસ રાખ્યો અને યુવકને મળ્યા પણ નહોતા. જ્યારે પંડિતજીએ અમને તેના વર્તન વિશે જાણકારી આપી તો અમે એક પરીક્ષા લેવાનો નિર્ણય લીધો. અમે તેને ૧૦ રુપિયાની ૩૦ નોટ આપી, અને તે ગણી નહોતો શક્યો. આ સ્થિતિ વિશે જાણ્યા પછી અમે લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લીધો.

જિલ્લા પંચાયતના એક સભ્ય ગુલુ મિશ્રા જણાવે છે કે, યુવતીએ લગ્ન રદ્દ કર્યા તો બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ. વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને તેમણે સમાધાનનો પ્રયત્ન કર્યો. પરંતુ દુલ્હન માનવા માટે તૈયાર નહોતી. માટે જાન પાછી વળી હતી. હજી સુધી તો આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

 

Tags: dulhan lagn inkarup
Previous Post

અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગઃ ૧૦નાં મોત

Next Post

ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

aaspassdaily

aaspassdaily

Related News

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ
તાજા સમાચાર

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી : એનડીએ આગળ

January 16, 2026
રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
આંતરરાષ્ટ્રીય

રશિયાનો જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ

January 16, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

કચ્છના રાપરમાં વહેલી સવારે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

January 16, 2026
Next Post
ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

ચીન-પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યાં છે તૈયારી, યુદ્ધ થયું તો દેશને મોટું નુકશાન- રાહુલ ગાંધી

જ્યારે યોગ્ય કન્યા મળશે લગ્ન કરી લઈશ : રાહુલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.