આજ રોજ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી. જેના લીધે દક્ષિણ પૂર્વ તુર્કી અને સીરિયાને ભારે નુકસાન થયું છે. બંને દેશોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થઇ ચૂક્યાં છે. તુર્કી અને સીરિયા બંનેમાં અનેક ઈમારતો પણ ધરાશાયી થઈ ગઇ છે. આથી, હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા દેખાઇ રહી છે.
તુર્કીયેમાં આજે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનો ઝટકો રાજધાની અંકારા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં અનુભવ થયો. આ સિવાય સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવ્યાં. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, અધિકારીઓએ જણાવ્યું કે તુર્કીયેમાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મૃત્યુની જાણકારી મળી છે. 440 ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. ત્યાં જ, સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા હોવું જાણવા મળ્યું છે.
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા પ્રમણે પહેલાં ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના ગાઝિયાન્ટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો. તેની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજા ભૂકંપ પછી 19 મિનિટ પછી 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો. અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે