ભાવનગર ની સર ટી. જનરલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજના બાળઆરોગ્ય વિભાગના વડા અને સેવાભાવી તબીબ ડો. મેહુલ મનસુખપરી ગોસાઈ (એમ.ડી. પેડ)ને બાળ આરોગ્ય તજજ્ઞો માટેની તા.20થી 23 ફેબ્રુઆરી દરમ્યાન મહાત્મા મંદિર , ગાંધીનગર, (ગુજરાત) ખાતે યોજાનાર ‘IPA-Pedicon 2023’ આંતરાષ્ટ્રીય પરિષદમાં બાળ આરોગ્ય વિષયક તજજ્ઞ તરીકે ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું છે.
ડો. મેહુલ ગોસાઈ દ્વારા “શાળા એ ભણવા જતા બાળકોમાં બીમારી આવતા કઈ રીતે અટકાવી શકાય” એ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સમાં જયારે લગભગ 120 થી વધારે દેશોના 6000થી વધારે બાળ આરોગ્ય નિષ્ણાંત તબીબો ભાગ લઈ રહ્યા છે ત્યારે ભાવનગરમાંથી ડો.ગોસાઈની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં થયેલ પસંદગીએ સરકારી મેડિકલ કોલેજ, સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર અને સમગ્ર તબીબ આલમ માટે એક ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય.