ગત તા.૧૬ને ગુરૂવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે એકસેલ એકસપ્રેશન ૨૦૨૩ના વિનર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીને મોમેન્ટો, મેડલ અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લોકનૃત્યની સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ટિપ્પણી લોકનૃત્યએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સમીટોમો કંપની લિમિટેડ દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ એકસેલ એકસપ્રેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સતત ત્રીજા વર્ષે જ્ઞાનગુરુ વિદ્યાપીઠનું લોકનૃત્ય પ્રથમ સ્થાને રહ્યું છે. જેમાં શાળાની માધયમિક વિભાગની ૧૨ બહેનોએ શાળાના માર્ગદર્શક શિક્ષક કિરપાલસિંહ ગોહિલ તથા સહાયક ભરતભાઈ દેસાણીના માર્ગદર્શન નીચે તથા પરિશ્રમ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ જ લોકનૃત્ય અત્યાર સુધી સતત નવ(૯) વખત સ્ટેજ ગજવી ચુકી છે અને દરેક વખતે પ્રથમ ક્રમાંક જ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ભાવનગરમાં સંસ્થાઓ દ્વારા તથા કોલેજો દ્વારા યોજાતી સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે જ આ લોકનૃત્ય રહ્યું છે. આ જ લોકનૃત્યની ટીમ કલા મહાકુંભના ઝોન કક્ષામાં તથા જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. હવે ગુજરાત રાજયના પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પણ આવનારી જ્ઞાનગુરુ વિદ્યાપીઠની આ કૃતિ તા.૨૨ ફેબ્રુઆરીએ જામજોધપુર (જિ. જામનગર) ખાતે પોતાના પરિશ્રમની ઝાંખી કરાવશે. આ લોકનૃત્યને સતત પ્રોત્સાહન અને હૂક શાળાના સંચાલક મનહરભાઈ રાઠોડ તથા મિતલબેન રાઠોડ તરફથી મળી છે. સમગ્ર ભાવનગરમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શિક્ષણ ક્ષેત્રે ક્વોલીટી એજયુકેશન માટે તો પ્રસિદ્ધ છે જ સાથે સાંસ્કૃતિક તથા રમતગમતના ક્ષેત્રમાં પણ હંમેશા મોખરે રહે છે.