શિવરાત્રીના પવિત્ર દિને સ્વ.પુરૂષોત્તમભાઈ ઈશ્વરલાલ મોદીના સ્મરણાર્થે તેઓની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ગ્રીનસીટી દ્વારા ચંપા, કરંજ તથા કંચનારના ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વગસ્થ પુરૂષોત્તમભાઈ પર્યાવરણ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતા હતા. તેઓએ તેમના ઘરના પટાંગણમાં અનેક આયુર્વેદીક વનસ્પતિઓના વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષારોપણના પ્રસંગે સદ્ગતના પરિવારના કુસુમબેન મોદી, મીતાબેન મોદી, અનુપમભાઈ મોદી, જલ્પાબેન મોદી તથા અરૂણાબેન પારેખ તેમજ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કુસુમબેન મોદી દ્વારા ગ્રીનસીટી સંસ્થાના દેવેનભાઈ શેઠને રૂ.૫૧૦૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.