પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિતે તા.૨૮ના રોજ કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો હતો સાથોસાથ દાદાના સિંહાસનને જઉં- બાજરો-જુવાર વિગેરે ધાન્યનો શણગાર કરી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવેલ, વિશેષમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની એક-એક દાણા પર “દાદા” લખી ભક્તોએ આકર્ષક શણગાર કરી ભક્તિ અર્પણ કરી તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો ભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.