ભાવનગર જિલ્લાના જસપરા માંડવા સિંચાઈ યોજનાના ડેમમાં હાલ પાણી ખૂટી જવાની તૈયારીમાં છે તેથી ખેડૂતો પર મુશ્કેલીના વાદળો ઘેરાવાના થવાના એંધાણ છે, પાણીયાળી, કુકડ, કંટાળા ગામના ખેડૂતોએ ઉનાળુ પાક અને માલઢોર માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે પરંતુ સિંચાઈ યોજનામાં તળિયું દેખાતા પીયત માટેનું પાણી મળવું મુશ્કેલ છે, આથી સંકટ સર્જવાનો ભય ઊભો થયો છે ત્યારે શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાંથી આ ડેમ તત્કાલ ભરવા ખેડૂતો તથા આગેવાનનો ગુરુવારે ભાવનગર ખાતે સિંચાઈના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી.