ગુજરાતમાં હાલ ડુંગળી અને બટેટાના નીચા ભાવોને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વર્ષે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ ડુંગળીનું ૧૦૯.૪૬ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. હાલ ડુંગળીના ભાવ ખુબ નીચા ચાલી રહ્યા છે જેથી ખેડૂતોને ઉપજનો ખર્ચ પણ નીકળતો નથી. આવી જ રીતે બટેટામાં પણ ભાવો ખુબ નીચા હોવાથી ખેડૂતોને ખર્ચના પૈસા પણ માથે પડી રહ્યા છે ત્યારે ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ બોનસ આપવાની જાહેરાત કરવા આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.