Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રાત્રે ધરપકડ

યુવરાજસિંહ અને અન્ય લોકો સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

aaspassdaily by aaspassdaily
2023-04-22 09:44:49
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યભરમાં ચર્ચા જગાવનારા ભાવનગર ડમી કાંડ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર એક વાયરલ સ્ટિંગ ઓપરેશનમાં ગંભીર આરોપો લગાવાયા હતા આ સહિતના તમામ મુદ્દે પુછપરછ માટે ભાવનગર એસઓજી પોલીસે યુવરાજસિંહ જાડેજાની દિવસભર પુછપરછ કરી હતી. લાંબી પુછતાછ બાદ રાત્રે ભાવનગર પોલીસે યુવારસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

ચકચારી ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ભાવનગર પોલીસ દ્વારા ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પ્રેસને માહિતી આપતા રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપે છે‌.
પોલીસે યુવરાજસિંહ જાડેજા,શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામનો વ્યકિત સામે ગુનો નોંધ્યો છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, યુવરાજસિંહ અને અન્ય લોકો સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાની વાત રેન્જ આઈજીએ કરી હતી. રેન્જ આઈજીએ કહ્યું હતું કે, યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારે વધુ છ આરોપીને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ ઝડપાયા છે એ પૈકીનો એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થવર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 પર પહોંચ્યો છે. ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા 14 એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ દરમિયાન વધુ ચાર આરોપીનાં નામ ખૂલ્યાં હતાં. પોલીસ અત્યારસુધીમાં કુલ 14 આરોપીઓને ઝડપી ચૂકી છે. હજી પણ આ મામલે 26 આરોપીને ઝડપવાના બાકી છે. ડીવાયએસપી સિંઘાલે કહ્યું હતું કે અમે કેટલાક આરોપીઓને બોલાવી પૂછપરછ કરી રહ્યા છે, તેમની સામે પુરાવા મળતાં ધરપકડ કરવામાં આવશે.
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારી અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે, જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.

Previous Post

અતીક-અશરફના હત્યાકાંડ બાદ અલકાયદાની ખુલ્લી ધમકી

Next Post

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.