ડમીકાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહની અટકાયત બાદ હવે તેમના સાળાની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ યુવરાજસિંહમાં સાળા કાનભા ગોહિલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને ભાવનગર એસઓજી પોલીસે સાથે મળી યુવરાજના સાળાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી તેમને લઈ ભાવનગર જવા રવાના થઈ ગઈ છે.
યુવરાજના સાળા કાનભા ગોહિલ ભાગીને ગત રાત્રે વેલેન્જા આવ્યા હતા જ્યાં લોકેશન ટ્રેસ કરી પોલીસ વેલેન્જા પહોંચી હતી. વેલેન્જાથી કાનભા ગાયબ થઈ જતાં ફરી એકવાર લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ દ્વારા અઠવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી મુજબ પોતાના એક મિત્રને ત્યાં કાનભા ગોહિલ રોકાયા હતા.
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. વિગતો મુજબ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે.




