Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

બાલાસોર ટ્રેન દુર્ઘટના : ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં થઈ હતી છેડછાડ

ખૂબ સુરક્ષિત હોય છે ઇન્ટરલોકિંગ સિસ્ટમ: રેલવેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

aaspassdaily by aaspassdaily
2023-06-06 10:47:57
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચેના અકસ્માતની પાછળ શું કોઈ મોટું ષડયંત્ર હતું? શું કોઈએ જાણી જોઈને ટ્રેક સાથે છેડછાડ કરી જેના કારણે 275 નિર્દોષોના જીવ ગયા? આ સવાલ હવે વધુ ગંભીર બન્યો છે. આ મામલે તાજેતરમાં જે ખુલાસો થયો છે, તે આ દિશામાં ઈશારો કરી રહ્યો છે. રેલવેની પ્રાથમિક તપાસમાં આ અંગેના પુરાવા મળ્યા છે કે ટ્રેકની ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. જેના કારણે રેલવેએ ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI પાસે કરાવવાનો નિર્ણય લીધો છે.
રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની પાછળ ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં છેડછાડની સંભાવનાને નકારી શકાય તેમ નથી. તેમના જણાવ્યા અનુસાર, રેલવેની પ્રાથમિક તપાસમાં આ વાતના પુરાવા મળ્યા છે કે આમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ તપાસ જાણકાર એજન્સી પાસે કરાવવામાં આવે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવેની ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક કોઈ છેડછાડ ન કરે ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતો નથી. રેલવે અધિકારીઓના આ ખુલાસાથી ફરી એકવાર આ સવાલ ઉઠી રહ્યો છે કે બાલાસોરની દુર્ઘટના કોઈ અકસ્માત નહીં પણ કાવતરું હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાની તપાસમાં આ પાસાની પણ મહત્ત્વપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં માનવ હસ્તક્ષેપ પાછળનો હેતુ જાણવા માટે CBIની તપાસ કરાવવામાં આવી રહી છે.

Previous Post

મોંઘવારીનો વધુ એક ઝટકો : અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો

Next Post

બૃજભૂષણ સિંહના ઘર પર દિલ્હી પોલીસના ધામા

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને 400 કરોડનો ફાયદો
તાજા સમાચાર

અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રને 400 કરોડનો ફાયદો

July 7, 2025
Next Post
બૃજભૂષણ સિંહના ઘર પર દિલ્હી પોલીસના ધામા

બૃજભૂષણ સિંહના ઘર પર દિલ્હી પોલીસના ધામા

જેતપુરમાં લવ જેહાદ: અમરેલીના 2 યુવાનોની ધરપકડ

જેતપુરમાં લવ જેહાદ: અમરેલીના 2 યુવાનોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.