બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે તેમજ ચક્રવાતના પાછળના ભાગને કારણે કચ્છમાં વરસાદ ચાલુ છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાઈ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચક્રવાતને કારણે માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી બન્યો તેમજ વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા, જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા છે
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઈજા થઈ છે. દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડુ આગળ વધશે અને ઉત્તરગુજરાતમાં રાજસ્થાનમાં થયેલા વરસાદનું પાણી આવશે. તેમણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. ડેમેજ રિકવરની કામગીરી શરૂ થશે અને બાદ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવા પર નિર્ણય થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર 118 કીમી સુધીની હવાની ગતી કચ્છમાં પહોચી હતી. સરેરાશ 78 કીમીની ઝડપે કચ્છમાં પવન રહ્યો છે



