સાળંગપુરમાં હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રોનો વિવાદ થયા બાદ સનાતન ધર્મ ના સંતો મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુ અને અનુયાયીઓ આમને સામને આવી ગયા છે. જો કે હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો હટાવી લેવાયા છે પણ આ વિવાદ હજું પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી. બીજી તરફ સોશિયલ મીડિયામાં ભરુચના કાવીમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે જેમાં તે સનાતન ધર્મ વિશે બફાટ કરી રહ્યો છે. હવે આપણે કોઇ દેવી દેવતા સાથે કોઇ સંબંધ રાખવાનો નથી તેવું તે કહી રહ્યો છે અને સાથે સાથે દેવી દેવતાઓને મંદિરોમાંથી બહાર કાઢવાના છે તેવું પણ જણાવી રહ્યો છે. જો કે તેણે કહ્યું કે આસુરી શક્તિઓ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે અને તેમ કહી તેણે માફી માગી હતી.
ભરુચના કાવીમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે વિવાદાસ્પદ છે. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ જણાવે છે કે સનાતનના દેવી દેવતાઓને આપણે મંદિરમાંથી કાઢવાના છે. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે અને સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મથી નારાજ થઇ ગયા છે. આપણે હવે કોઇ દેવી દેવતા સાથે કોઇ લેવા દેવા નથી. તે વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે બીજા ધર્મના લોકો મને ફોન કરીને મારી પાસે આવે, તેમનો રોગ અને દુખ ભગવાન કાઢી આપશે પણ સનાતનવાળાઓએ મારી પાસે આવવાનું નથી અને મારી બાજુ ફરકવાનું નથી.
ઢોંગી દિનેશ પટેલનો આ વીડિયો વાયરલ થયા બાદ તે ગેં ગેં ફેં ફેં થઇ ગયો હતો. તેણે કહ્યું કે આસુરી શક્તિઓ મારા મોંઢામાંથી બફાટ કરાવે છે. તેના શરીરમાં સંખ્યાબંધ આત્મા હોવાનું તેણે રટણ કર્યું હતું. આસુરી શક્તિએ બફાટ કરાવ્યો છે તેમ કહી તેણે માફી માગી હતી.