આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા નાણાકીય વર્ષ 2020થી 2023 સુધી તેના ખાતરીદાયક બચત યોજનાના
સેગમેન્ટમાં 158 ટકાની વૃદ્ધિ નોંધાવવામાં આવી છે. આ વૃદ્ધિમાં ઉછાળો ગ્રાહકો ખાતરીદાયક લાભો આપતી યોજનાઓને
અગ્રતા આપતા હોવાનું સ્પષ્ટ રીતે દર્શાવે છે. ગ્રાહકોની અગ્રતા શેરબજારની વધતી અસ્થિરતાને લીધે ખાતરીદાયક લાભો આપતી યોજનાઓ તરફ વધી રહી છે. ખાતરીદાયક લાભની યોજનાઓ મૂડીની સુરક્ષા આપવા સાથે સ્થિર વળતરો આપે છે. આ યોજનાઓ શ્રેણી નાણાકીય સ્થિરતા અને દ્વિતીયઆવકના સ્રોત નિર્માણ કરવા માટે શક્ય માર્ગ આપે છે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યુરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી વિનોદ એચે જણાવ્યું હતું કે, “અમે
જોયું છે કે ઘણા બધા ગ્રાહકો આવકનો વૈકલ્પિક સ્રોત ઊભો કરવા માગે છે. અમારી અમુક ગ્રાહક અનુકૂળ યોજનાઓ, જેમ કે,
આઈસીઆઈસીઆઈ પ્રુ ગેરન્ટીડ ઈન્કમ ફોર ટુમોરો, આઈસીઆઈસીઆઈ પ્રુ ગોલ્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુ સુખ સમૃદ્ધિ
ગ્રાહકોને તેમનાં લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો માટે નિયોજન કરવા અભિમુખ બનાવે છે. અમારી અમુક યોજનાઓ ગ્રાહકોને
બીજા પોલિસી વર્ષથી વૈકલ્પિક આવક પ્રવાહ નિર્માણ કરવાનો વિકલ્પ આપે છે. આ નાવીન્યપૂર્ણ બચત વોલેટની વિશિષ્ટતા અમુક
યોજનામાં ઓફર કરાય છે, જે આવકનો સંચય કરવા ઉપયોગ કરી શકાય છે, જે પછી ભાવિ પ્રીમિયમો ભરવા અથવા એકસામટી
રકમ તરીકે લેવા માટે ઉપયોગ કરી શકાય છે. મેચ્યુરિટી લાભ જાણવાથી ગ્રાહકો તેમનાં લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યોને બહેતર રીતે
નિયોજિત કરી શકે છે.
વિવિધ ગ્રાહક વર્ગે વીમાની આસાન ઉપલબ્ધતાની ખાતરી રાખવા માટે કંપનીએ 4ડી ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. આ ફ્રેમવર્કમાં ડેટા
એનલાઈટિક્સ, ડાઈવર્સિફાઈડ પ્રપોઝિશન્સ, ડિજિટલાઈઝેશ અને ડેપ્થ ઈન પાર્ટનરશિપ્સનો સમાવેશ થાય છે. ડેટા એનલાઈટિક્સ
ગ્રાહકલક્ષી જીવન વીમા યોજનાઓ બનાવવા માટે મદદ કરે છે, જે ડાઈવર્સિફાઈડ પરિમાણો પ્રોડક્ટ પોર્ટફલિયોને વિસ્તારીને કંપની
ગ્રાહકોના વ્યાપક વર્ગોને પહોંચી વળી શકે છે. ડિજિટલાઈઝેશન ગ્રાહકોને પેપરલેસ ખરીદી પ્રવાસ પૂરો પાડે છે અને ગ્રાહકોને સ્વ-
સેવા વિકલ્પો સાથે સશક્ત બનાવે છે. ડેપ્થ ઈન ડિસ્ટ્રિબ્યુશન ગ્રાહકોમાં જીવન વીમાની બહેતર સ્થિતિ માટે ભાગીદારી મજબૂત
બનાવે છે. લક્ષ્ય યોગ્ય ગ્રાહકોને તેમની જરૂરતોને આધારે યોગ્ય યોજનાઓ વેચવાનું છે.”