જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. દર વખતની જેમ આ વખતે પણ 12થી 25 ઓક્ટોબર સુધી મફત ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે. પરંતુ આ વખતે રાશનની સાથે રેશનકાર્ડ ધારકોને કેન્દ્રની મોદી સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર તરફથી વધુ એક ભેટ મળશે. હા, આ વખતે મફત ઘઉં અને ચોખાની સાથે કાર્ડ ધારકને રેશનની દુકાનમાંથી આયુષ્માન કાર્ડ પણ મળશે. આ માટે સરકાર દ્વારા તમામ રેશનની દુકાનો પર કેમ્પનું આયોજન કરવામાં આવશે.
5 લાખ સુધીની મળશે મફત સારવાર
તમને જણાવી દઈએ કે, આયુષ્માન કાર્ડ દ્વારા તમે ખાનગી હોસ્પિટલોમાં પણ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. આ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, આયુષ્માન ભારત યોજના હેઠળ, રાશન કાર્ડ ધારકો, અંત્યોદય કાર્ડ ધારકો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ યોજના હેઠળ રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ બનાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આંગણવાડી કાર્યકર અને આશાવર્કર કરશે મદદ
સરકારની યોજના વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે, આ કામ ગ્રામ પંચાયતની મદદથી વિસ્તારમાં કામ કરતા રાશન વિક્રેતાઓ, શહેરી વિસ્તારોમાં તૈનાત આંગણવાડી કાર્યકર, આશા વર્કર, પંચાયત સહાયક દ્વારા કરવામાં આવશે. જ્યારે, પણ રાશનની દુકાનો પર રાશનનું વિતરણ કરવામાં આવશે, તે જ દિવસે ત્યાં એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.