પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો
પંડ્યા હાલમાં તેના પગની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જે તેને 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં થઈ હતી. બીસીસીઆઈના સૂત્રનું કહેવું છે કે હા, પંડ્યા મુંબઈમાં ટીમ સાથે જોડાશે. હાલમાં તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર લઈ રહ્યો છે. અત્યારે અમને ખાતરી નથી કે તે શ્રીલંકા સામે રમશે કે નહીં, પરંતુ ટીમમાં તેનો સમાવેશ નિશ્ચિત છે.
તેની ગેરહાજરીને કારણે, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને સામે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર મેચમાં 11 રન બનાવવા ઉપરાંત પંડ્યાએ 22.60ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે. જોકે તેને બેટિંગ કરવાની મર્યાદિત તકો મળી છે. ભારતીય ટીમના ચાહકો ઈચ્છે છે કે પંડ્યા ઓછામાં ઓછા સેમીફાઈનલ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય.