વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી અને જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. 2013માં નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો વર્ષ 2018માં PMએ SOUને દેશને સમર્પિત કર્યું હતુ
પ્રધાનમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. નરેન્દ્ર મોદી તત્કાલિન ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે 2013માં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ વડાપ્રધાન બન્યા પછી તેમણે વર્ષ 2018માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. આ સ્ટેચ્યુ બન્યા પછી સ્થાનિક લોકોને રોજગારી મળી છે તેમજ ગુજરાત અને દેશને એક નવો પ્રર્યટન સ્થળ મળ્યો છે.
વર્ષ 2018માં 4.53 લાખ, 2019માં 27.45 લાખ, 2020માં 12.81 લાખ (કોરોનાનો સમયગાળો), 2021માં 34.29 લાખ, વર્ષ 2022માં 41.32 લાખ
વર્ષ 2023માં 31.92 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પછી એક એક પછી એક આમ 26 નવા પ્રોજેક્ટો અહી બનાવવામા આવ્યા છે. જેથી કેવડિયા હવે એકતા નગર બની ગયું છે.