રાજસ્થાનમાં શનિવારે સવારે ૭ કલાકથી સાંજના ૬ સુધીનું મતદાન કરી શકાશે. વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે. રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ બેઠક છે. શ્રીગંગાનગર, કરણપુર બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર ગુરમીતસિંહ કુન્નરના નિધન પછી ૧૯૯ બેઠક પર મતદાન થશે રાજ્યના ૧૯૯ મતદાર વિભાગમાં કુલ ૫,૨૫,૩૮,૧૦૫ મતદાર છે.
રાજસ્થાનમાં કૉંગ્રેસ, ભાજપ બે મુખ્ય પ્રતિસ્પર્ધી છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી) અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
કૉગ્રેસનું ચૂંટણીપ્રચાર અશોક ગહલોત સરકારની કામગીરી પર આધારિત હતો. ગહલોત સરકારની યોજનાઓ અને પક્ષે જાહેર કરેલી સાત ગેરંટી પર કૉંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓ સામેના ગુના, તુષ્ટીકરણ, ભ્રષ્ટાચાર, પેપરલીક કૌભાંડ વિગેરે મુદ્દાઓ પર ભાજપે કૉંગ્રેસની ટીકા કરી હતી.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મુખ્ય પ્રધાન ગહલોત નેતા વિગેરેએ ચૂંટણીપ્રચાર સંભાળ્યો હતો. ભાજપના પક્ષ પ્રમુખ જે.પી. નડડા, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્ર્વા સરમા અને અન્ય નેતાઓએ રાજયભરમાં જાહેર સભાઓ કરી હતી.