હાલમાં જ આપણે માવઠાનો અનુભવ કર્યો અને હજુ ડિસેમ્બર માસમાં વધુ માવઠાઓ આવી રહ્યા છે પણ ફકત સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહી દેશભરમાં હવામાન સતત ‘વિલન’ બની રહ્યું છે અને છેલ્લા નવ માસમાં 86% દિવસો હવામાનની કોઈને કોઈ પ્રકારની વિષમતા જોવા મળી હતી અને તેમાં બિહાર સૌથી વધુ ભોગ બન્યુ છે.
કલાઈમેટ ચેન્જની અસર હવે રોજબરોજના હવામાન પણ અસર કરે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી 30 ડિસેમ્બરના 273 દિવસોમાં 176 દિવસ હવામાન સંબંધી કોઈને કોઈ વિષમતા જોવા મળી હતી અને આ પ્રથમ નવ માસમાં જ હવામાન દુર્ઘટનાથી 2923 લોકોના મોત થયા હતા. આ પ્રકારની હવામાન ખરાબીના કારણે 20 લાખ હેકટરમાં પાકને નુકશાન થયું હતું. 80000થી વધુ ઘર નષ્ટ થયા હતા અને 92000 પશુઓના મોત થયા હતા.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના રિપોર્ટ કહે છે કે વાસ્તવમાં જે નુકશાન-જાનહાની સરકારી ચોપડે નોંધાઈ છે તેના કરતા વધુ હોવાનો ભય છે. કારણ કે દૂરના ગ્રામીણક્ષેત્રના આંકડા સહેલાઈથી મળતા નથી. સૌથી વધુ મોત બિહારમાં 642 થયા છે. ફેબ્રુઆરી માસ સૌથી ગરમ રહ્યું છે. 123 વર્ષની સૌથી વધુ ગરમી પડી હતી.