ભાવનગર પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યો ના સંયુક્ત પ્રયાસોથી ભાવનગર શહેરનું રજવાડા વખતનું જશોનાથ મંદિર અને નાનીબાઈ સદાવ્રત રામજી મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધારમાં રૂપિયા 99,98,400 જશોનાથ મંદિરમાં બંને ધારાસભ્યોના સંયુક્ત પ્રયત્નથી મંજુર થયા છે.સાથોસાથ રૂપિયા 5,57,100 નાનીબાઈ સદાવ્રત રામજી મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે મંજુર થયા છે. ટુંક સમયમાં આર્કિટેકની નિયુક્તિ થયા બાદ આ બન્ને મંદિરોનું રીનોવેશન શરૂ થશે.
ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન રાજીવ કુમાર પંડ્યા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનાં સંયુક્ત પ્રયત્નોથી દરખાસ્ત થયેલ તમામ રકમ મુખ્યમંત્રીએ આ મંજૂર કરેલ છે.આ માટે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યા અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે