એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જે જાણીને તમારા હાશ ઉડી જશે. ત્રણ લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી અને નવાઈની વાત એ છે કે આ ફેક બ્રાન્ચ છેલ્લા 3 મહિનાથી ચાલુ હતી તમિલનાડુમાં ત્રણ લોકોએ ભેગા મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચ ખોલી નાખી હતી. જો કે તમિલનાડુ પોલીસ આ લોકોની ધરપકડ કરી લીધી છે.
તમિલનાડુ પોલીસના જણાવ્યાં મુજબ એક અસામાન્ય અપરાધના આરોપમાં પનરુતિમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે. ત્રણેય 3 મહિનાથી એસબીઆઈની નકલી શાખા ચલાવી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં એક પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર પણ સામેલ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે અપરાધિક ગતિવિધિનો માસ્ટરમાઈન્ડ કમલબાબુ હતો. બાબુના માતા પિતા બંને પૂર્વ બેંક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ પહેલા મોત થઈ ચૂક્યું છે. જ્યારે માતા બે વર્ષ પહેલા જ બેંકમાંથી રિટાયર્ડ થયા હતા. એક વ્યક્તિ પનરુતિમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. ત્રીજો વ્યક્તિ રબર સ્ટેમ્પ છાપવાનું કામ કરતો હતો.
ત્રણમાંથી એક વ્યક્તિ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો જેનાત્યાંથી બેંક સંલગ્ન તમામ નકલી ચલણ, અને અન્ય દસ્તાવેજ છપાતા હતા. આ સાથે જ રબર સ્ટેમ્પવાળી દુકાનથી બેંકના સ્ટેમ્પ વગેરે તૈયાર કરીને લગાવવામાં આવતા હતા જેથી કરીને લોકોને તે ફેક છે તેવો શક જાય નહીં.
જ્યારે એક એસબીઆઈ ગ્રાહકે પનરુતિમાં શાખાને જોઈ અને અસલ એસબીઆઈ શાખાના બ્રાન્ચ મેનેજરને તેની ફરિયાદ કરી. નવી શાખા વિશે જાણ્યા બાદ એસબીઆઈ ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા. ત્યારબાદ કાર્યાલયે બેંક મેનેજરને તેની જાણ કરી. મેનેજરને ફક્ત બે જ એસબીઆઈ બ્રાન્ચ વિશે ખબર હતી. નવી ત્રીજી શાખા તેમના દસ્તાવેજોમાં ક્યાંય ન હતી. જ્યારે આ વાતની જાણકારી મોટા અધિકારીઓને થઈ તો તેની તપાસ માટે તેમણે તે જગ્યાની મુલાકાત લીધી. ત્યારબાદ અધિકારીઓએ પોલીસને જાણ કરી, ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસ મુજબ કોઈ ટ્રાન્ઝેક્શન થયું ન હતું.