વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના 24 કલાક પહેલા જ આતંકીઓએ હિન્દૂ કર્મચારીઓને કાશ્મીર છોડવાની ધમકી આપી છે. આ ધમકી ઇન્ટરનેટ મીડિયા અને ફોન દ્વારા આપવામાં આવી છે. ધમકી બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
ઘાટીમાં લઘુમતીઓની વસ્તીના તમામ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જ્યા પ્રવાસી શ્રમિક રહે છે. મહત્ત્વપૂર્ણ છે કે મોદીના 20 ફેબ્રુઆરીના પ્રવાસને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે. આતંકી સંગઠન પહેલા પણ ઘાટીમાં નિયુક્ત કાશ્મીરી હિન્દૂ કર્મચારીઓને ધમકી આપતા રહે છે. આતંકીઓએ આ ધમકી પહેલા સોશિયલ મીડિયા પર આપી હતી અને તે બાદ એક કાશ્મીરી હિન્દૂ કર્મીના મોબાઇલ ફોન પર વોઇસ નોટ મોકલી છે. આ ધમકી પહેલા ઓનલાઇન મુખપત્ર વેબસાઇટ કાશ્મીર ફાઇટ્સ પર આપવામાં આવી હતી જેમાં 20 કાશ્મીરી હિન્દૂ કર્મચારીઓના નામ અને તેમના મોબાઇલ ફોન નંબર પણ સ્પષ્ટ રીતે લખેલા છે.
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS)ના અધ્યક્ષ સંજય ટિક્કૂએ આતંકીઓની ધમકી વિશે કહ્યું કે તેને KPSSના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શેર કરી છે. આતંકી સંગઠન ખુલ્લેઆમ અહીં કાશ્મીરી હિન્દૂઓને કાશ્મીર છોડવા માટે કહી રહ્યાં છે. સરકાર સુરક્ષાને લઇને ગંભીર નથી.
તમામ કર્મચારી નાણા વિભાગના એક કાશ્મીરી હિન્દૂ કર્મચારીએ કહ્યું કે લશ્કર-એ-તૈયબાની હિટ સ્કવોડ TRFએ જે કાશ્મીરી હિન્દૂઓના નામ અને મોબાઇલ નંબર જાહેર કર્યા છે, તે તમામ જમ્મુ કાશ્મીર નાણા વિભાગના કર્મચારી છે. આતંકી સંગઠનો પાસે નામ, નંબર અને અન્ય માહિતી હોવી કાશ્મીરી હિન્દૂ કર્મચારીઓની સુરક્ષા માટે ઘાતક છે. જેનાથી એવી ખબર પડે છે કે સરકારી તંત્રમાં હજુ પણ આતંકીઓના કેટલાક સમર્થક અને એજન્ટ છે.