ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ ઉપર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતા પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે.