વધુ એક ભયાનક અકસ્માતની ઘટના જસદણના બાખલવડ ગામ નજીક બની છે જેમાં કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે.
ઘટનાની વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. જસદણના બાખલવડ ગામ નજીક રાત્રે કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે માસુમ ભાણેજના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. રાજકોટ-ભાવનગર હાઈવે રાત્રે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આઠ વર્ષની ભાણેજને માથાના ભાગે ઇજા પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે, તેણે પણ સવારે દમ તોડી દેતા અરેરાટી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો.