સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં ડૂબી જતાં બે પિતરાઇ ભાઇઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સગીરવયના બંને પિતરાઇ ભાઇઓ તળાવમાંથી ભેસો કાઢવા ગયા હતા જે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં બંનેના મોત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.