પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષો ભેગા થઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે તેવી અપીલ કરવામાં આવી છે.
પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલો થયેલ હોબાળાને શાંત કરવા માટે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સમગ્ર બાબતે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં બંને પક્ષો ભેગા તઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે. આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચશે. ભૂલ થાય નિદનીય છે પણ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરે. અવિચલ દાસ મહારાજની વિવાદને શાંત કરવા બંને પક્ષોને અપીલ કરી છે.
આ સમગ્ર મામલે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જે બોલાયું છે તેને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કે આ ક્યાં સંજોગોમાં બોલાયું તેનું અમને પણ આશ્ચર્ય છે. પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું. આપણું જે લક્ષ્ય છે. ભારતનાં ઈતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો. એમાં ક્યાંક આપણને અડચણ પડશે. એટલે બંને પક્ષોને અમારી સંત સમિતિનાં સભ્ય અપીલ કરે છે કે, આપ ભેગા બેસો રસ્તો શોધો.