રામલલાના મસ્તકને સૂર્ય કિરણથી પ્રકાશિત કરાયું હતું. 500 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવો મોકો મળ્યો છે જ્યારે રામલલાને સૂર્ય તિલક કરાયું છે. અન્ય શ્રધ્ધાળુઓની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
મોદીએ અસામ યાત્રા દરમિયાન પ્લેનમાં બેઠા બેઠા સૂર્ય તિલકનું લાઈવ પ્રસારણ જોયું હતું. પીએમએ પોતાના એક્સ હેન્ડલ પર તેની તસવીર પણ મુકી છે. જેમાં દેખાય છે કે કેવી રીતે તે પોતાના જૂતા ઉતારીને ખુરશી પર બેઠા છે. તેમના હાથમાં ટેબ્લેટ છે જેના દ્વારા તે સીધું પ્રસારણ જોઈ રહ્યા છે. તેમણે પોતાનો જમણો હાથ પ્રણામમાં છાતી પર લગાવી રાખ્યો છે.
આ તસવીર શેર કરતા સોશિયલ મિડીયા એકાઉન્ટ પર લખ્યું છે કે નલવાડીની સભા બાદ મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકનો અદ્વિતીય ક્ષણ જોવાનું સૌભાગ્ય મળ્યું હતું. શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ તમામ લોકો માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જાથી તેવી જ રીતે પ્રકાશિત કરશે.