ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનની સાથે વાયુસેનાના અધિકારીઓ પણ જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જજિયા ગામે પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.
વાયુ સેનાના ટોહી વિનાનમાં પાઈલટ હોતા નથી, તેને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. જેસલમેરના પિથલા ગામ પાસે આ પ્લેન જોરદાર ધમાકા સાથે ક્રેશ થયું હતું. જોરદાર વિસ્ફોટ સાંભળતા જ આસપાસના લોકો પ્લેન ક્રેશ સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.