મણિપુરમાં ચાલી રહેલી હિંસા હજુ અટકતી દેખાતી નથી. લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નરસેના વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના જવાનો પર હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં બે જવાનોના મોતના અહેવાલ છે.
મણિપુર પોલીસે આ અંગે માહિતી આપતાં કહ્યું કે કુકી ઉગ્રવાદીઓએ મધરાતથી સવારના 2.15 વાગ્યા સુધી હુમલો કર્યો. હુમલામાં માર્યા ગયેલા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા.