છત્તીસગઢના બેમેતારામાં ગંભીર માર્ગ અકસ્માત થયો છે, આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
આ અકસ્માત બેમેતારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. રસ્તાની બાજુમાં એક મઝદા કાર ઉભી હતી, જેને લોકોથી ભરેલા પીકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પથર્રા પરત ફરી રહ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. 4 લોકોની સ્થિતી અત્યંત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ,બેમેતારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઉન્નાવમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તેજ ગતિએ જઈ રહેલી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચીસો મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 28 મુસાફરોમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા.