એક તરફ લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપના ચામરાઝનગરના વર્તમાન સાંસદ શ્રીનિવાસ પ્રસાદનું નિધન થયું છે. બેંગ્લોરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. શ્રીનિવાસ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં હતા.
કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે અવસાન થયું હતું. શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય એસ. બાલારાઝને ટિકિટ આપી હતી. આ બેઠક પર બીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા બેઠકના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટએટેકથી નિધન થયું હતું. લોકસભા ચૂંટણી 2019માં તેમને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. પરંતુ આ વખતે તેમને ટિકિટ અપાઈ ન હતી.