PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત પ્રવાસના પહેલા દિવસે PM મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
આજે વડાપ્રધાન મોદી સવારે વલ્લભવિદ્યાનગરમાં PM મોદી જાહેરસભા સંબોધશે. આ પછી PM મોદી બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે. બપોરે 2.15 વાગ્યે જૂનાગઢમાં જાહેરસભાને સંબોધશે. સાંજે 4.15 વાગ્યે જામનગરમાં PM મોદી જનસભા કરશે.
આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમને આણંદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપના ઉમેદવાર છે, તેઓ સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે, જેમને જૂનાગઢ બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તેમને ભાજપે રિપીટ કર્યા છે.