આવતીકાલે રાષ્ટ્ર પર્વ એટલે કે મતદાનના દિવસ છે ત્યારે ઉદ્યોગપતિ અને રાષ્ટ્ર પ્રેમને સર્વોપરી માનતા કોમલકાંત શર્માએ સહુ નાગરિકોને મતદાન અવશ્ય કરવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે, દેશના નિર્માણમાં આપણા મતથી ચૂંટાયેલી સરકાર સૌથી મહત્વનો હિસ્સો છે ત્યારે પ્રત્યેક મત મહત્વનો છે અને વિકસીત ભારતના નિર્માણના પાયાની ઇંટ સમાન છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ બેઠક ઉપર મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે ગુજરાતનો પ્રત્યેક નાગરિક પોતાનો મત યોગ્ય અને નિષ્પક્ષ રીતે આપી ભારતનું ભાવી યોગ્ય હાથમાં સોંપવાનો હક્ક ધરાવે છે. આ હક્ક અને રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ એકપણ મતદાર ન ચુકે અને વોટીંગ કરે તેવી નમ્ર અપીલ છે.
હું મત ન આપું તો શું થઇ જવાનું ? આવું વિચારતા પહેલા યાદ રાખવું જરૂરી છે કે, વિશ્વમાં એક મતને કારણે સરકાર ન બની શકી હોય અને સરકાર ઉથલી પણ ગઇ હોય તેવા કિસ્સાઓ છે. ભારતના જાગૃત નાગરિક તરીકે મારો દેશ કેવો હોવો જાઇએ તેનું સ્વપ્ન સાકાર કરવાનો આ દિવસ છે. માત્ર થોડો સમય મતદાન માટે કાઢી આપણી પવિત્ર ફરજને નિભાવીએ. આપણો ધર્મ જે પણ હોય રાષ્ટ્ર ધર્મ સર્વોપરી છે અને ચાલો સાથે મળી દેશનું સુકાન યોગ્ય હાથમાં સોંપવા સંકલ્પબદ્ધ થઇએ અને મતદાન કરીએ.
– વંદે માતરમ