વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન માટે અમદાવાદ આવશે. 7મીને મંગળવારે તેઓ રાણીપ સ્થિત નિશાન શિક્ષણ સંકુલમાં મતદાન કરશે. આ પુર્વે ચૂંટણી પંચના અધિકારીઓ, પોલીસ સહિતની એજન્સીઓના અધિકારીઓએ વડાપ્રધાન જયાં આવવાના છે તે સ્થળ, સંકુલની મુલાકાત લઈ સુરક્ષા સહિત વિવિધ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી રાતે 9 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી 7:30 વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.