ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 13 લોકોને બચાવી લેવાયા છે.
પાંચ મૃતદેહોને લઈ જવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહોને લઈ જવાના બાકી છે. મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે, ઉત્તરકાશી અને ટિહરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના ફોન રણકવા લાગ્યા અને સમાચાર મળ્યા કે કર્ણાટક અને મહારાષ્ટ્રના 22 ટ્રેકર્સ સહસ્ત્રતલ ટ્રેક પરથી પાછા ફરતી વખતે કુફરી ટોપ પર ખરાબ હવામાનને કારણે અટવાયા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ‘આ એક દુ:ખદ ઘટના છે અને અમે SDRF અને રેસ્ક્યુ ટીમને બચાવ માટે મોકલી છે અને અમે જે પણ જરૂરી હશે તે તૈનાત કરીશું, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.