Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ

છ દર્દીઓનાં સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા : તબીબોને સ્ટેન્ડબાય રહેવા સૂચના

dharmendravaghela by dharmendravaghela
2024-07-18 12:07:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ કેસ દાખલ થતા સિવિલ હોસ્પિટલનાં તબીબોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે.
અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસનાં 3 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2 દર્દીની તબિયત સ્થિર છે. જ્યારે 6 શંકાસ્પદ દર્દીનાં સેમ્પલ પુના લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 3 દિવસ બાદ આવશે. તેમજ સિવિલ હોસ્પિટલનાં તબીબોને સ્ટેન્ડ બાદ રહેવા સૂચન આપવામાં આવી છે.
આ બાબતે અસારવા સિવિલનાં સુપ્રિટેન્ડન્ટ ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, છ દર્દીઓનાં સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમજ અમે રાહ જોઈ રહ્યા છીએ કે તે રિપોર્ટમાં શું આવે છે તેમજ મીડીયાનાં માધ્યમથી એટલી વિનંતી કરીશ કે લોકોએ ગભરાવાની જરૂર નથી.હાલ જે દર્દીઓ નોંધાયેલા છે તે શંકાસ્પદ છે. તેમજ તેઓનો રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે અન્ય કોઈ ઈન્ફેક્શન થયા છે.

ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળશે

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે. આરોગ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લા, મહાનગરનાં આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રનાં ર્ડાક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેનાં અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે. રાજ્યમાં 26 ચાંદીપુરાનાં કેસો નોંધાયા છે. જે પૈકી 14 મૃત્યું પામ્યા છે.

Tags: Ahmedabadchandipura viruscivil hospital
Previous Post

ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ ઠાર

Next Post

ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક

ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક

ભાવનગર જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં તમામ ઠરાવોને મંજુરી

ભાવનગર જિલ્લા પંચાયતની મળેલી સાધારણ સભામાં તમામ ઠરાવોને મંજુરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.