અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને ૯.૦૦ લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.
15 ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
સુરતમાં રવિવારે ડુમસ રોડ પર વાય-જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સીઆર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ જોડાયા હતા. 1200 ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેના પગલે તિરંગાયાત્રાના રૂટનો તિરંગાના રંગમાં રંગાયો હતો. આ યાત્રાના રૂટ પર 10 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા.