Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

સૈનિકોએ પ્રદર્શન અટકાવ્યું તો તેમના પર હુમલો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-08-12 11:54:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સરકાર, લોકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને હવે સેના કોઈ સુરક્ષિત નથી. ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા હવે કાબૂ બહાર ગઈ છે. આ દરમિયાન સેનાના જવાનો પર પણ હુમલાના સમાચાર છે. સેનાના વાહન પર આ હુમલો ગોપાલગંજ વિસ્તારમાં થયો હતો. અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અવામી લીગના હજારો કાર્યકરો શેખ હસીનાની વાપસીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓએ ઢાકા-ખુલના હાઈવે બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સેનાનું વાહન ત્યાં પહોંચી ગયું અને દેખાવકારોને રસ્તો ખોલવા અને વિરોધ ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં, વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. ગોપીનાથપુર સંઘના પૂર્વ પ્રમુખ લચ્છુ શરીફે કહ્યું કે, આ હુમલામાં સેનાના ઘણા જવાનો ઘાયલ થયા છે. જેમાં એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ

પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને, આસામ પોલીસ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ પર છે તે સુનિશ્ચિત કરવા માટે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું કે કેન્દ્રએ સૂચના જારી કરી છે કે બાંગ્લાદેશથી કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Tags: ArmyBangladeshprotest
Previous Post

અત્યાર સુધીમાં રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ

Next Post

પેરિસ ઓલિમ્પિક્સનું રંગારંગ સમારોહ સાથે સમાપન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પેરિસ ઓલિમ્પિક્સનું રંગારંગ સમારોહ સાથે સમાપન

પેરિસ ઓલિમ્પિક્સનું રંગારંગ સમારોહ સાથે સમાપન

પંજાબ મેલમાં આગની અફવા : 50 કિમી ની ઝડપે દોડતી ટ્રેનમાંથી 30 લોકોએ છલાંગ મારી, 20 ઘાયલ

પંજાબ મેલમાં આગની અફવા : 50 કિમી ની ઝડપે દોડતી ટ્રેનમાંથી 30 લોકોએ છલાંગ મારી, 20 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.