Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરખેજ ભારતી આશ્રમ વિવાદ : ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજીના રૂમમાંથી મળ્યા જીન્સ-ટીશર્ટ

ઋષિભારતી અને વિશ્વેશ્વરી માતાજીને આશ્રમમાંથી દૂર કર્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-09-02 11:38:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમમાં ઉત્તરાધિકારીના વિવાદમાં વધુ એક વળાંક સામે આવ્યો છે. આશ્રમના ટ્રસ્ટીઓ અને મેનેજર રામ ગઢવીએ પોલીસની હાજરીમાં ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતા જે રૂમમાં રહેતા હતા તેને ખોલ્યો હતો. સંસારિક જીવન જીવતા વ્યક્તિ જે કપડાં પહેરે તેવા અલગ અલગ કપડાંઓ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. જીન્સ ટીશર્ટ સહિતના અલગ અલગ કપડાં અને નાના બાળકોના રમકડા પણ મળી આવ્યા હતા. જે જોઇને ટ્રસ્ટીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આશ્રમના રૂમમાંથી કપડાં અને રમકડા મળી આવ્યા છે. જે હોવા જોઇએ નહીં. કોઇ સાધુ પાસે કોઇ સાંસારિક જીવનના કપડાં હોતા નથી, પરંતુ આ રૂમમાંથી મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતી આશ્રમ વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી બાપુ ભારતી આશ્રમમાં વહીવટકર્તા હતા. ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતી (માતાજી)ને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે.
શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં.

Tags: bharati aashram sarkhejcontravercy
Previous Post

અમદાવાદના ચિત્રકાર હસમુખભાઈ પટેલે દોરેલા ભગવાન શિવના ચિત્રોનું ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પ્રદર્શન

Next Post

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ : 10 હજારથી વધુ OPD રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ : 10 હજારથી વધુ OPD રદ

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ : 10 હજારથી વધુ OPD રદ

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.