સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુવારે ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયાબાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી પણ કરી હતી.
આ સાથે જ બીસીસીઆઈ સચિવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી હતી.