હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે. અહીં પહેલાથી જ 21 CRPF સ્ટોર હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની યોજના પર 16 વધુ આઉટલેટ ખોલવામાં આવ્યા છે.
કેન્ટીનમાં પહોંચેલા સ્થાનિક વ્યક્તિએ કહ્યું- અહીં વસ્તુઓ ખૂબ સસ્તા ભાવે મળે છે. રસ્તાઓ બ્લોક હોવાથી અને સામાન પણ મોંઘો હોવાથી બજારમાંથી માલ ખરીદવામાં મુશ્કેલી પડી હતી. ત્યાં જવામાં જોખમ છે. CRPF કેન્ટીનમાં સામાન સસ્તો છે અને અહીં સુરક્ષાની ખાતરી પણ છે.
CRPF કેન્ટીનમાં સવારે 9.30 થી 1 વાગ્યા સુધી સામાન્ય લોકોને સામાન આપવામાં આવશે. આ સુવિધા અઠવાડિયામાં ચાર દિવસ ઉપલબ્ધ રહેશે. સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર. આ સ્ટોર્સ ગુરુવાર, શનિવાર અને રવિવારે સામાન્ય લોકો માટે બંધ રહેશે. CRPF IG વિપુલ કુમારેજણાવ્યું કે, અમારા તમામ અધિકારીઓ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ કામ કરી રહ્યા છે. તે જોઈ રહ્યા છે કે, સ્ટોરમાં બધો સામાન ઉપલબ્ધ છે. ખીણ જિલ્લાઓમાં 16 અને પહાડી જિલ્લાઓમાં 8 સ્ટોર ખોલવામાં આવ્યા છે.