Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ફેક્ટરી દુર્ઘટનામાં 5 વર્ષમાં 992નાં મોત

ગુજરાત રાજ્યના શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના આંકડા મુજબ સુરતમાં સૌથી વધુ 155 શ્રમિકોના મૃત્યુ , અમદાવાદ શહેરમાં 126 અને વલસાડમાં 92 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 12:04:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

27મી ઓક્ટોબરે અમદાવાદના નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા હતા.જ્યારે 4ની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાત કોંગ્રેસે સરકારી વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યમાં ફેક્ટરી અકસ્માતથી છેલ્લા પાંચ વર્ષમાં 992 શ્રમિકોના મૃત્યુ હોવાનો આંકડો રજૂ કરીને આરોપ લગાવ્યો છે. જેમાં સૌથી વધુ મૃત્યુ સુરતમાં થયા છે અને 155 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે અમદાવાદ શહેરમાં ફેક્ટરી અકસ્માતથી 126 અને વલસાડમાં 92 શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા મીડિયાને સંબોધતા જણાવ્યુ કે, ગુજરાત રાજ્યના સરકારી વિભાગની બેદરકારી, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના આંકડા મુજબ 5 વર્ષમાં ફેક્ટરી દુર્ઘટનામાં 992 શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2018થી વર્ષ 2022માં સહુથી વધુ મૃત્યુ સુરતમાં થયા છે. સુરત જિલ્લામાં પાંચ વર્ષમાં 155 શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ 126 શ્રમિકોએ ફેક્ટરી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને વલસાડ જિલ્લામાં 92 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માતથી જીવ ગુમાવ્યા છે.
નારોલ ફેક્ટરીમાં ગેસ ગળતર બનેલી ઘટનામાં એક સગીર સહિત બે લોકોએ જીવ ગુમાવ્યા અને 4 શ્રમિકોની ગંભીર પરિસ્થિતિ છે. થોડાક સમય પહેલા કચ્છ, વડોદરામાં ફેક્ટરી અકસ્માતના કિસ્સામાં નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2021 સુધી હેઝાર્ડસ વેસ્ટ પ્રોડ્યુસ કરતી 20,433 ફેક્ટરી છે, ત્યારે ગુજરાત અને ગુજરાતની જનતાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારી કર્મીઓના રહેમ હેઠળ ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

Tags: deathfactory gas leakgujarat
Previous Post

રિવરફ્રન્ટનો પ્લોટ 156 કરોડમાં મુંબઈની કંપનીએ મેળવ્યો

Next Post

અમદાવાદ એરપોર્ટ પરથી 2.11 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમદાવાદ એરપોર્ટ પરથી 2.11 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો

અમદાવાદ એરપોર્ટ પરથી 2.11 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો

હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

સ્ટ્રોકનાં દર 5 માંથી 1 દર્દી 40 વર્ષથી ઓછી ઉંમરનાં : બેઠાડું જીવનશૈલી જવાબદાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.