Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહા મહિનામાં આવશે માવઠું : મધ્ય-ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

અનેક વિસ્તારોમાં માવઠુ અને કરા પડવાની સંભાવનાઓ

dharmendravaghela by dharmendravaghela
2025-01-28 11:42:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે ત્યારે આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે એ અંગે ગુજરાતના બે આગાહીકારોએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આવનાર સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠુ અને કરા પડવાની સંભાવનાઓ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 28 જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેથી, ગુજરાતમાં તેની અસરોને લઈને 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે. આ સમયે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આગામી દિવસોની આગાહી મુજબ 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છુટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટા વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વડોદરા, પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર ખંભાત, વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના વરસાદ વરસે શકે છે. જેથી, ખેડૂતોએ અગમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે.
હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે કારણ કે, ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. રાજ્યમાં 3, 4 અને 5 ફેબ્રુઆરી ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે કારણ કે, આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા તેની અસરો ગુજરાત ઉપર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતાઓ છે પરંતુ, સૌથી વધુ તીવ્રતા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે.

Tags: gujaratmavthu aagahi
Previous Post

મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ: પિતા-પુત્રીનું મોત

Next Post

કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ

સંભલ, મથુરા, વિશ્વનાથ- ત્રણેય લઈશું એકસાથ : દેવકીનંદ ઠાકુર

સંભલ, મથુરા, વિશ્વનાથ- ત્રણેય લઈશું એકસાથ : દેવકીનંદ ઠાકુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.