Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છેડતીની શંકાએ બે સગા ભાઈઓને છરીથી સહેંસી નાખ્યા

એક જ મકાનમાં રહેતા બે પરપ્રાંતીય શખ્સો હત્યા કરી ફરાર

dharmendravaghela by dharmendravaghela
2025-02-11 11:47:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટમાં સોમવારની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતિય શખ્સોએ છેડતીની શંકાએ મૃતકોને આડેધડ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું વધું ઘવાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના મોટાભાઇને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હત્યા નીપજાવી નાસી છુટેલા બંને શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરનાં સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતિય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા. જેને કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો તો અન્ય ભાઈને ગંભીર હાલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વતની રાજુભાઇ જૈન અને તેનો પરિવાર રાજકોટમાં આર્યનગરમાં રહે છે અને ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. પરિવાર જે મકાનમાં રહે છે તે મકાનના જ નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુ કેટલાક સમયથી છોટુ શંકરની પત્નીની છેડતી કરે છે તેવી છોટુ શંકરને શંકા હતી. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાથી જૈન પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Tags: double murderRajkottwo brother killed
Previous Post

મહાકુંભમાં 13 તારીખ સુધી વાહનોને નો એન્ટ્રી

Next Post

મહાકુંભમાંથી પરત ફરતી બસને અકસ્માત, સાત લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહાકુંભમાંથી પરત ફરતી બસને અકસ્માત, સાત લોકોના મોત

મહાકુંભમાંથી પરત ફરતી બસને અકસ્માત, સાત લોકોના મોત

દિલ્હીને મળી શકે છે દેશના પ્રથમ દલિત મુખ્યમંત્રી?

દિલ્હીને મળી શકે છે દેશના પ્રથમ દલિત મુખ્યમંત્રી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.