Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પિતા, પુત્રી અને જમાઈની ત્રિપુટી કરોડો રૂપિયા લઈ ફરાર

૧૩ દિવસમાં ૧૦ ટકા ગેરટેંડ વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 11:50:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વસ્ત્રાલમાં રહેતા પિતા, પુત્રી અને જમાઇએ વીમા કંપનીમાં રોકાણની સામે માત્ર ૧૩ દિવસમાં ૧૦ ટકા વળતરની લાલચ આપીને એક મહિલા સહિત અનેક લોકો સાથે રૂપિયા ૫.૮૧ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીનો આંક ૧૦ કરોડને પાર થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વીમા એજન્ટને રોકાણની સામે ૧૩ દિવસમાં ૧૦ ટકા ગેરટેંડ વળતરની લાલચ આપી હતી.
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી શહેરના વસ્ત્રાલમા આવેલા મારૂતિ સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા આશાબેન ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે ઘરેથી કપડાનો વ્યવસાય કરે છે. ગત ઓગસ્ટ ૨૦૨૩માં તેમને એપાર્ટમેેન્ટમાં રહેતા નંદકિશોર સોનીએ મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં તેમની દીકરી ખુશ્બુ સોની અને જમાઇ કિંજલ સોની હાજર હતા. નંદકિશોરે આશાબેનને કહ્યું હતું કે તેમના જમાઇ અને દીકરીએ વીમા પોલીસીનું કામ શરૂ કર્યું છે. જેમાં બલ્કમાં પોલીસી લેવાની હોવાથી વીમા એજન્ટે રોકાણ કરવાનું રહે છે. બાદમાં વીમા કંપની ૨૨ ટકાના વળતર સાથે નાણાં ૧૩ દિવસમાં પરત કરે છે. જેથી રોકાણ કરશો તો તમને ૧૦ ટકા વળતર મળશે.
આશાબેને આ ટોળકી પર વિશ્વાસ કરીને પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી તેમજ અન્ય લોકો પાસેથી લઇને ૩.૭૯ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અન્ય લોકોએ પણ નંદકિશોર સોનીને નાણાં આપ્યા હતા. આમ, પિતા ,પુત્રી અને જમાઇએ ૫.૮૧ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જો કે સમય મર્યાદા વીતી જવા છતાંય, તેમણે નાણાં પરત આપ્યા નહોતા. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ આર જી દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

Tags: AhmedabadFirFraud
Previous Post

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ઈન્ડિયા પહોંચી

Next Post

પાલિકા-પંચાયતનું 57 ટકા મતદાન : 18મીએ થશે 5000થી વધુ ઉમેદવારના રાજકીય ભાવિનો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
પાલિકા-પંચાયતનું 57 ટકા મતદાન : 18મીએ થશે 5000થી વધુ ઉમેદવારના રાજકીય ભાવિનો નિર્ણય

પાલિકા-પંચાયતનું 57 ટકા મતદાન : 18મીએ થશે 5000થી વધુ ઉમેદવારના રાજકીય ભાવિનો નિર્ણય

ભાવનગરના લીમડીયું વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઈટ પર RMC ટ્રક પલટી ખાઈ જતાં એકનું મોત

ભાવનગરના લીમડીયું વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઈટ પર RMC ટ્રક પલટી ખાઈ જતાં એકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.